March 14, 2026

બનાસકાંઠામાં વરસાદ બાદ કલેકટર શ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ રાહત કામગીરી – ૨૪ કલાકમાં ૭ રસ્તા પુનઃ મોટરેબલ

0
સુઈગામમાં જળબંબાકાર પરિસ્થિતિ

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે અસર જોવા મળી હતી. જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને પુનઃસ્થાપન કામગીરી હાથ ધરવામાં આવી.

📌 મિહિર પટેલની આગેવાની હેઠળ રસ્તાઓ પુનઃ મોટરેબલ

  • ભારે વરસાદથી ૧૪ રસ્તાઓ બંધ થયા હતા.
  • માત્ર ૨૪ કલાકમાં ૭ રસ્તાઓ પર વાહન વ્યવહાર પુનઃ પ્રારંભ થયો.
  • બાકી રસ્તાઓ પર કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

📌 ૨૪ ટીમોની કામગીરી

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), પંચાયત અને નેશનલ હાઈવે સાથે મળી કુલ ૨૪ ટીમો દ્વારા અસરગ્રસ્ત માર્ગોનું સર્વેક્ષણ કરી મરામત શરૂ કરવામાં આવી છે.

📌 અધિકારીઓની હાજરી

  • થરાદ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓની સતત હાજરી.
  • ખાસ સચિવશ્રી તથા મુખ્ય ઇજનેર દ્વારા સ્થળ નિરીક્ષણ.
  • નુકસાનગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક મરામત માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

📌 ડ્રોન સર્વે

ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાયેલા માર્ગોનું ડ્રોન મારફતે સર્વેક્ષણ કરી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અને ઝડપી કાર્યવાહીથી ગામજનોને રાહત મળી રહી છે.

 Instagram પર Follow કરો
 Facebook પર Like & Follow કરો
 WhatsApp Channel માં Join થાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed