Ambaji Bhadarvi Poonam Mela:અંબાજી યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ, દર્શનાર્થીઓની સંખ્યા 15 લાખ પાર
Ambaji Bhadarvi Poonam Mela
ભાદરવી પૂનમ મહાકુંભમાં ભક્તોનો અવિરત પ્રવાહ
ચોથા દિવસે પણ લાખો દર્શનાર્થી
અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભમાં ચોથા દિવસે પણ ભક્તોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 7,70,224 ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે. માત્ર ત્રણ જ દિવસમાં 14,99,674 ભાવિકો દર્શનનો લાભ લઈ ચૂક્યા છે.

Ambaji Bhadarvi Poonam Mela:પ્રસાદ વિતરણમાં લાખો પેકેટ
મેળામાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે.
- મંદિર ટ્રસ્ટ દ્વારા વિતરણ:
- 11 લાખથી વધુ મોહનથાળ પ્રસાદ પેકેટ
- 13 હજારથી વધુ ચીકી પ્રસાદ
ભક્તોની આસ્થા સાથે પ્રસાદ વિતરણની વ્યવસ્થા એક ઉત્સવમય માહોલ સર્જી રહી છે.
મારુ વાવ થરાદ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરો: અહીં ક્લિક કરો
Ambaji Bhadarvi Poonam Mela:ભંડાર કેન્દ્રોમાં કરોડોની આવક
મંદિરના ભંડાર કેન્દ્રોમાં અત્યાર સુધીમાં કુલ ₹1 કરોડથી વધુ આવક નોંધાઈ છે. સતત વધી રહેલા ભક્તપ્રવાહને જોતા આ આંકડો હજુ વધવાની શક્યતા છે.
સુરક્ષા માટે વિશાળ બંદોબસ્ત
ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે મંદિર ટ્રસ્ટ તથા પોલીસ તંત્ર સક્રિય છે. મેળામાં 5000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ સુરક્ષા જાળવી રાખવા ઉપરાંત ભક્તોને માર્ગદર્શન અને મદદ પણ કરી રહ્યા છે.
Ambaji Bhadarvi Poonam Mela:અંબાજી પરિસરમાં ભક્તિમય માહોલ
સમગ્ર અંબાજી પરિસર “બોલ મારી અંબે”ના જયઘોષથી ગુંજી રહ્યું છે. ભક્તોની આસ્થા, મંદિર પ્રસાદ, ભોજનશાળાની સેવાઓ અને વિશાળ સુરક્ષા વ્યવસ્થાને કારણે ભાદરવી મહાકુંભ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે.