March 15, 2026

થરાદ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી, 112 ટીમ અને પોલીસ દોડી આવી વિસ્તારમાં ચકચાર

0
થરાદ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

થરાદ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

થરાદ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી, 112 ટીમ અને પોલીસ દોડી આવી વિસ્તારમાં ચકચાર થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટના થરાદ તાલુકા નજીકની હોવાનું જાણવા મળ્યું છે.

થરાદ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

થરાદ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી

પ્રાપ્ત માહિતી મુજબ, નર્મદા કેનાલના પાણીમાં એક પુરુષનો મૃતદેહ તરતો નજરે પડ્યો હતો. કેનાલ પાસે પસાર થતા સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોઈ તાત્કાલિક 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર જાણ કરી હતી.

માહિતી મળતા જ 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. 112ના કર્મચારીઓએ સ્થાનિક લોકોની મદદથી કેનાલમાંથી અજાણ્યા પુરુષના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહ બહાર આવતા આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

મૃતદેહ બહાર કાઢ્યા બાદ 112ની ટીમે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ દ્વારા હાલ મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ મૃતકનું મૃત્યુ અકસ્માતે થયું છે કે પછી કોઈ ગુનાહિત બનાવ છે, તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નર્મદા કેનાલમાં અગાઉ પણ અકસ્માતોની ઘટનાઓ બનતી રહેતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પ્રશ્નો ઊભા થયા છે.

ફિલ્હાલ પોલીસે મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને મૃતકની ઓળખ અંગે કોઈપણ જાણકારી હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed