April 22, 2026

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026 પૂર્વ તૈયારી, અંબાજીમાં માઇભક્તોની સુરક્ષા માટે રોડ અકસ્માત, નાસભાગ અને રોપવે અંગે મોક ડ્રિલ

0
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026 ની સફળ અને સુરક્ષિત આયોજન માટે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન દ્વારા અગાઉથી વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માનનીય જિલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠાની સ્પષ્ટ સૂચનાથી અંબાજી ખાતે માઇભક્તોની સલામતીને પ્રાથમિકતા આપતા રોડ અકસ્માત, નાસભાગ તથા રોપવે સુરક્ષા અંગે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026

આ મોક ડ્રિલ દરમિયાન સંભવિત આપત્તિ પરિસ્થિતિઓમાં તાત્કાલિક પ્રતિભાવ કેવી રીતે આપવો, ઈમરજન્સી સેવાઓ વચ્ચે સંકલન કેવી રીતે સાધવું અને માઇભક્તોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા કેવી રીતે અમલમાં મૂકવી તે અંગે પ્રાયોગિક અભ્યાસ કરાયો હતો.

ડ્રિલમાં જિલ્લા પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, એસડીઆરએફ, રોપવે સંચાલન તંત્ર તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને રોપવે સેવા દરમિયાન કોઈ અચાનક ઘટનામાં મુસાફરોની સુરક્ષા માટે લેવામાં આવનારા પગલાંનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું.

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026

પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરાયું હતું કે મહોત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી પહોંચતા હોય છે, ત્યારે તેમની સલામતી સુનિશ્ચિત કરવી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આવી મોક ડ્રિલો દ્વારા સંભવિત જોખમોને અગાઉથી ઓળખી યોગ્ય આયોજન કરી શકાય છે.

શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026

જિલ્લા તંત્રની આ પહેલથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ–2026 વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સફળ રીતે યોજાશે એવી શ્રદ્ધાળુઓમાં વિશ્વાસની લાગણી જોવા મળી રહી છે.

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed