April 22, 2026

થરાદમાં ભવ્ય રામનવમી શોભાયાત્રાની તૈયારીઓ શરૂ: નાગરિકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

0
થરાદમાં ભવ્ય રામનવમી શોભાયાત્રા

થરાદમાં ભવ્ય રામનવમી શોભાયાત્રા

થરાદ શહેરમાં આવનાર પાવન રામનવમી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રાના આયોજન માટે રામજી મંદિર ખાતે નાગરિકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી શિવની શોભાયાત્રાને ભવ્ય અને યાદગાર બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

થરાદમાં ભવ્ય રામનવમી શોભાયાત્રા

થરાદમાં ભવ્ય રામનવમી શોભાયાત્રા

આ પ્રસંગે શહેરના તમામ વર્ગના લોકો, વડીલો તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી શિવની પ્રતિષ્ઠા બાદ થરાદમાં પ્રથમ વખત આવી વિશાળ શોભાયાત્રા યોજાનાર હોવાથી નાગરિકોમાં ખાસ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

બેઠક દરમિયાન શોભાયાત્રાને સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવવા માટે વિવિધ આયોજન મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. શહેરના નાગરિકોએ એકજૂટ થઈને આ ધાર્મિક પ્રસંગને યાદગાર બનાવવા માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આયોજનકર્તાઓએ તમામ ધર્મપ્રેમી નાગરિકોને આ પવિત્ર રામનવમીના પ્રસંગે યોજાનારી શોભાયાત્રામાં જોડાઈ સહયોગ આપવા અપીલ કરી છે. સમગ્ર શહેરમાં આ યાત્રા ભવ્ય રીતે નીકળે તે માટે વિવિધ સ્તરે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે ડીડી રાજપૂતે જણાવ્યું હતું કે,
“ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી શિવની પ્રતિષ્ઠા બાદ થરાદ શહેરમાં આ પ્રથમ ભવ્ય શોભાયાત્રા યોજાઈ રહી છે. ગામના દરેક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને સૌના સહયોગથી આ આયોજન સફળ બનાવાશે.”

વોટ્સએપ ચેનલઅહીં ક્લિક કરો
ફેસબુકઅહીં ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામઅહીં ક્લિક કરો
યુટ્યુબઅહીં ક્લિક કરો
વધુ સમાચારઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed