UPI Payment Chargeને લઈને હાલમાં ચર્ચા તેજ બની છે. ખાસ કરીને ₹2,000થી વધુના UPI ટ્રાન્જેક્શન પર Merchant Discount Rate (MDR) લાગુ કરવાની સંભાવનાને કારણે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.
શું હવે ₹2,000થી વધુ UPI પેમેન્ટ કરવા માટે ગ્રાહકોએ ચાર્જ ચૂકવવો પડશે? આ નિયમ કોને લાગુ પડશે અને તેનો અમલ ક્યારથી થશે? ચાલો જાણીએ સમગ્ર મામલો સરળ ભાષામાં. નોંધનીય છે કે નાણા મંત્રાલયે સંસદમાં ચુકવણી અને સમાધાન પ્રણાલી (સુધારા) બિલ, 2027 રજૂ કર્યું છે. આ બિલમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાનો પ્રસ્તાવ છે, જેનો અર્થ છે કે આ ચાર્જ ₹2,000 ની મર્યાદાથી વધુ લોકો પર લાગુ થશે.
આ ચાર્જથી કોને અસર થઈ શકે?
UPI Payment Charge દરખાસ્ત મુખ્યત્વે ₹2,000 થી વધુના ટ્રાન્જેક્શન પર લાગુ થાય છે. આ ચાર્જ વેપારીના વ્યવહારો અને મોટી સંસ્થાઓ પર લાગુ થશે.
UPI Payment Charge થી સામાન્ય લોકોને શું અસર થશે?
₹2,000 થી વધુની ચુકવણી માટે સામાન્ય ગ્રાહકોને મુક્તિ મળશે. આનો અર્થ એ છે કે જો તમે નિયમિત ગ્રાહક અથવા દુકાનદાર છો તો તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
UPI Payment Charge: હાલની ઉપલબ્ધ માહિતી પ્રમાણે એવું સીધું કહેવું વહેલું છે. MDR સામાન્ય રીતે મર્ચન્ટ-સાઇડ ચાર્જ સાથે સંબંધિત છે. 2020થી Person-to-Merchant (P2M) UPI વ્યવહારો પર MDR અંગેની જૂની વ્યવસ્થા દૂર કરવામાં આવી હતી અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સરકાર તરફથી પ્રોત્સાહન વ્યવસ્થા રાખવામાં આવી છે. તેથી હાલ “₹2,000થી વધુ UPI પેમેન્ટ કરો અને ગ્રાહક પાસેથી તરત ચાર્જ કપાશે” એવું માનવું યોગ્ય નથી.
આ પણ વચોં: તહેવારો પહેલાં મોંઘવારીનો મોટો ઝટકો! સિંગતેલ ₹2,900ને પાર, જાણો ગુજરાતમાં ખાદ્યતેલના નવા ભાવ
શું ₹2,000ની મર્યાદા તમામ UPI પેમેન્ટ માટે છે?
અહીં પણ એક મહત્વનો તફાવત સમજવો જરૂરી છે. ₹2,000ની ચર્ચા મુખ્યત્વે MDR અને ચોક્કસ પ્રકારના મર્ચન્ટ ટ્રાન્જેક્શન સાથે જોડાયેલી છે. તેનો અર્થ એ નથી કે ₹2,000થી વધુનું દરેક UPI પેમેન્ટ બંધ થઈ જશે અથવા દરેક ગ્રાહક પાસેથી ચાર્જ લેવામાં આવશે. UPIમાં વિવિધ પ્રકારના વ્યવહારો અને પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે, તેથી નિયમનો અંતિમ અમલ કયા પ્રકારના વ્યવહારો પર થશે તે સત્તાવાર સૂચના બાદ જ સ્પષ્ટ થશે.





