Pan Masala & Gutkha Packaging: પાન-મસાલા અને ગુટખા ખાનારા લોકો માટે નહીં, પરંતુ તેને બનાવતી કંપનીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. FSSAIએ પાન મસાલાના પેકેજિંગને લઈને નવા નિયમો તૈયાર કર્યો છે. જો આ પ્રસ્તાવ અંતિમ નિયમ તરીકે લાગુ થશે તો પાન મસાલાના પેકિંગમાં વપરાતા પ્લાસ્ટિક અંગે મોટો ફેરફાર જોવા મળી શકે છે.
શું છે FSSAIનો નવો પ્રસ્તાવ? – Pan Masala & Gutkha Packaging
FSSAIના ડ્રાફ્ટમાં પાન મસાલાના પેકેજિંગ માટે કાગળ, પેપર બોર્ડ, સેલ્યુલોઝ અથવા અન્ય કુદરતી રીતે મળતી સામગ્રીનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે. આ સામગ્રીમાં પ્લાસ્ટિક, જેમાં પોલીઇથિલિન, પોલીપ્રોપીલીન, પોલિએસ્ટર, પીવીસી જેવા મટિરિયલ તેમજ કેટલાક કૃત્રિમ પોલિમર અને લેમિનેટ્સ સામેલ છે, ન હોવા જોઈએ તેવી જોગવાઈ પ્રસ્તાવિત છે.
એટલે કે હાલના નાના પ્લાસ્ટિકવાળા પાઉચના વિકલ્પ તરીકે કંપનીઓએ વધુ પર્યાવરણલક્ષી પેકેજિંગ તરફ જવું પડી શકે છે.
કંપનીઓ પર શું અસર પડશે?
Pan Masala & Gutkha Packaging: જો આ નિયમ અંતિમ સ્વરૂપમાં લાગુ થશે તો પાન મસાલા બનાવતી કંપનીઓએ પોતાના પેકેજિંગમાં ફેરફાર કરવો પડશે. અત્યાર સુધી જે સસ્તા પેકેટમાં પાન મસાલા વેચાય છે તેના બદલે નવા પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવો પડી શકે છે.
પેકિંગ મટિરિયલ બદલવાથી કંપનીઓનો પેકેજિંગ ખર્ચ વધવાની શક્યતા પણ છે. તેની અસર આગળ જતાં ઉત્પાદન અને વેચાણની કિંમત પર પડે છે કે નહીં તે જોવાનું રહેશે.
ગ્રાહકો માટે પાન મસાલા મોંઘો થશે?
હાલમાં એવું સીધું કહી શકાય નહીં કે આ નિયમથી પાન મસાલાની કિંમત ચોક્કસ વધશે. જોકે, પેકેજિંગનો ખર્ચ વધે તો કંપનીઓ તેનો કેટલો ભાર ગ્રાહકો પર નાખે છે તે મહત્વનું રહેશે.
પર્યાવરણ માટે કેમ મહત્વનું?
Pan Masala & Gutkha Packaging: પાન મસાલાના નાના-નાના પ્લાસ્ટિક પાઉચ રસ્તા, ગટર અને જાહેર સ્થળોએ મોટી માત્રામાં જોવા મળે છે. જો પ્લાસ્ટિકમુક્ત પેકેજિંગનો નિયમ અમલમાં આવે તો આવા પ્લાસ્ટિક કચરામાં ઘટાડો લાવવાનો પ્રયાસ થઈ શકે છે.
આ પણ વાચો: 2027ની મોટી ભવિષ્યવાણી, આ વર્ષે થશે આ 5 મોટી ઘટનાઓ? જાણો શું કહે છે જ્યોતિષીઓ
સૌથી મહત્વની વાત: શું પાન મસાલા-ગુટખા પર પ્રતિબંધ મૂકાયો?
ના. હાલ મળતી FSSAIની સત્તાવાર માહિતી પ્રમાણે વાત પાન મસાલાના પેકેજિંગના નિયમોના ડ્રાફ્ટ અંગે છે. પાન મસાલા કે ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની વાત આ દસ્તાવેજમાં નથી. એટલે સોશિયલ મીડિયા પર ચાલતી “પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ” જેવી વાતોથી ગેરમાર્ગે દોરાવું નહીં.





